વ્યવહાર 

ભારતીય સંસ્કૃતિ માં જોવા મળતો એક પ્રકારનો રિવાજ……

આની અધોગતિ માં આશીર્વાદ ને પણ આપણે પૈસા ના વ્યવહાર થકી જોડી નાખ્યો. મૂળતહ વાત ઉમળકાથી આપવામાં આવતા આશીર્વાદ અને સ્વૈચ્છિક રીતે જે કાંઈ આપો એ ચાલે કેમકે મહત્વ ના આશિષ અને ઉમળકો હોય છે પણ અર્થઘટન માં પાવરધા આપણે એની પ્રથા જ બદલી નાખી. એક ઉદાહરણ આપુ 

મારા દાદા નુ મ્રુત્યુ થયું ત્યારે મરનાર ની પાછળ એક વાસણ અને બુંદી આપવી અને રાબેતા મુજબ મે સવાલ પૂછ્યો અને જવાબ એક જ આવે કે કરવું પડે મે ખાલી પૂછ્યું કે બધા સગાઓ પાસે વાસણ છે જ તો પછી કીધું કે યાદગારી માટે છતા મારી દલીલો ચાલુ જ હતી કે મારા દાદા ની યાદગારી એક વાસણ ની મોહતાજ ન હોય તે તો તેમના કાર્ય ના લીધે ઓળખાશે જ. પછી ફૂવા આવ્યા મદદ એ કે આ પ્રથા ચાલુ કરવાનો મૂળ હેતુ એ કે પહેલા આવા જવા માટે સાધનોની સગવડ પાંખી એટલે સહેજ પણ બે-ત્રણ દિવસ થઈ જાય એટલે આપણે આવેવા મહેમાનો ને રસ્તા માં ખાવા માટેના વાસણો અને જમવાનું આપીએ છીએ.

આપડે આ વસ્તુ પાછળ નુ લોજીક ને તો અભેરાઈ એ મૂકી આવ્યા અને એક ગધ્ધા પૂંછડી પકડાઈ ગઈ.

નફરત થઈ જાય જ્યારે માણસ એનુ ગજું ન હોવા છતાં સમાજ ના ભોગે ન ફાવતા વ્યવહાર વ્યવસ્થા ની ગધેડી પકડી છે.લગ્ન, મામેરું, જનોઈ આ બધુ આવી ગયુ આમા…..

અહીયા ચાંલ્લા ના કવર ના વજન મુજબ આવતી વેળાએ નુ આમંત્રણ આપવામાં આવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s